(N/A) વિખનીજીકરણ પામેલું પાણી એટલે એવું પાણી જે તમામ દ્રાવ્ય ખનિજ ક્ષારો (જેમ કે $Na^+$,$Ca^{2+}$,$Mg^{2+}$ જેવા ધન આયનો અને $Cl^-$,$SO_4^{2-}$,$HCO_3^-$ જેવા ઋણ આયનો) થી સંપૂર્ણપણે મુક્ત હોય.
તે પાણીને ક્રમશઃ કેટાયન વિનિમય રેઝિન ($H^+$ સ્વરૂપમાં) અને એનાયન વિનિમય રેઝિન ($OH^-$ સ્વરૂપમાં) માંથી પસાર કરીને મેળવવામાં આવે છે.
$1$. કેટાયન વિનિમય પ્રક્રિયામાં,$H^+$ આયનો પાણીમાં રહેલા $Na^+$,$Ca^{2+}$,$Mg^{2+}$ અને અન્ય ધન આયનો સાથે વિનિમય પામે છે:
$2RH_{(s)} + M^{2+}_{(aq)} \longrightarrow MR_{2(s)} + 2H^+_{(aq)}$
$2$. એનાયન વિનિમય પ્રક્રિયામાં,$OH^-$ આયનો $Cl^-$,$HCO_3^-$,$SO_4^{2-}$ જેવા ઋણ આયનો સાથે વિનિમય પામે છે:
$R'NH_{2(s)} + X^-_{(aq)} \longrightarrow R'NH_3^+X^-_{(s)} + OH^-_{(aq)}$
અંતે,$H^+$ અને $OH^-$ આયનો પ્રક્રિયા કરીને શુદ્ધ પાણી બનાવે છે:
$H^+_{(aq)} + OH^-_{(aq)} \longrightarrow H_2O_{(l)}$